Friday, December 30, 2011

Utrayan Special : Makar Sankranti



MUST WATCH VIDEO N SAVE BIRDS THIS FESTIVAL


SAVE COWS N AVOID USING PLASTIC


MISSION ANTI PLASTIC N SAVE COWS : NO RELIGION BAR : EVERYONE CAN PARTICIPATE.

Once upon a Time COWS & Other Animals were Considered as a Persons or Nations Wealth, now they are Served as BEEF to Foreign Countries. Kya ZAMANA aa gaya hai.


Friday, December 16, 2011

Shree Godiji Parshvanath Jinalayni 200mi Salgiri

Shree Godiji Parshvanath Registration Form

Pranam,

શ્રી ગોડીજી પાર્શ્વનાથ  જીનાલયની  ૨૦૦ મી સાલગીરી  

Shree Godiji Parshvanath Derasar/Jinalay ki 200 Salgiri (Anniversary) k nimit se pure Mumbai ke Jain logo k liye Shree Sangh Swamivatsalya ka aayojan kiya hai.
To Complete this Task we need the above form to be filled by all Jains across Mumbai.

Intructions : 1. Click on Form to open.
2. Right Click on Form and Save on your Desktop.
3. Take Print, Fill all details and Submit to your nearby Shree Sangh or Trust.
4. Please Note if there 2 Shree Sangh in your nearby area then please submit this form to any 1 Sangh only to avoid Duplication.
5. You can take any number of Print outs and distribute to your nearby Jain Family/Friends/Relatives in your Shree Sangh or any other Shree Sangh you know.
6. This Form is to be filled by all Jains Per Family residing in Mumbai area only.
7. This Form Collection is a process to gather all Jains during 200th Anniversary of Shree Godiji Parshvanath Derasar, Paydhuni, Mumbai.
8. If you have any query related to Form filling and submission then kindly contact on the Mobile nos mentioned on the Form.
9. Fill all columns and share maximum details you can.

SHARE THIS FORM LINK WITH YOUR FAMILY / FRIENDS / RELATIVES ( Click to Open )

Friday, August 5, 2011

Tithi Update


+


Pranam,



Aaj Shravan Sud 6/7,
Girnar Tirhtadhipati Shree Neminath Dada Diksha Kalyanak,
Padki 20 NavkarVali Gine.

Kal Shravan Sud Aatham(8),
23 Tirthankar Shree Parshvnath Bhagvan Moksh Kalyanak.


Kal AATHAM(8)hai,
*Lilotri Tyag
*Jivdaya pale
*Pravchan sune
*Maun/Sanyam rkhe
*Pratikaman/Paushadh/Samayik
*Upvas/Aayambil/Chauvihar kre...

Your Family/Friends can get the same updates as you are getting, register on http://jainoreparivar.blogspot.com/p/subscribe.html





--

Pranam,
Jai Jinendra,
Jainam Jayti Sasnam


AXIT  D  SHAH
   ~ Founder ~ 
Jain~O~Re Parivar
Mumbai ~ India
3G (m) +91 98699 58999
www.JainoreParivar.BlogSpot.com

INDIAN Mobile nos cn Join us

Sms,


JOIN <space> JAINORE

 to 092195 92195  / 567678
     
Follow us on :


Micro Blog Twitter : www.TWITTER.com/JAINORE
Orkut : www.ORKUT.com : SEARCH : JAINORE PARIVAR


--
To post to this group, send email to jainore@gmail.com

To unsubscribe from this group, send email to
jainore+unsubscribe@googlegroups.com

Wednesday, August 3, 2011

NEWS & UPDATE



+


Pranam,


Kal PANCHAM(5)hai,
*Lilotri Tyag
*Jivdaya pale
*Pravchan sune
*Maun/Sanyam rkhe
*Pratikaman/Paushadh/Samayik
*Upvas/Aayambil/Chauvihar kre..


NOTE: SAMUHIK AATHAM TAP(3Upvas),
SHRAVAN SUD 4/5/6,
AUG 3/4/5 WED/THU/FRI,
KOI SANGH MEIN SHRAVAN SUD 5/6/8,
THU/FRI/SAT BHI KIYA JAYEGA.


SAGAR SAMUDAY NA GA.AA.DOLATSAGAR SURI M.S NU DT.3-8-11 NE SAVARE 7.30 AM AHMEDABAD,
SHELBI HOSPITAL MA OPERATION THAYUCHE 108 NAVKAR GANVA.


1 CALL=1 VOTE,
KINDLY GV A CAL ON 18001034108 (GOVT NOS) 2 REG UR VOTE TO STOP 8 SLAUGHTER HOUSE(KATALHANA) IN U.P.
CAL FRM LANDLINE&MOBILE.




--

Pranam,
Jai Jinendra,
Jainam Jayti Sasnam


AXIT  D  SHAH
   ~ Founder ~ 
Jain~O~Re Parivar
Mumbai ~ India
3G (m) +91 98699 58999
www.JainoreParivar.BlogSpot.com

INDIAN Mobile nos cn Join us
Sms,


JOIN <space> JAINORE

 to 092195 92195  / 567678
     
Follow us on :


Micro Blog Twitter : www.TWITTER.com/JAINORE
Orkut : www.ORKUT.com : SEARCH : JAINORE PARIVAR


--
To post to this group, send email to jainore@gmail.com

To unsubscribe from this group, send email to
jainore+unsubscribe@googlegroups.com

Saturday, July 23, 2011

SUNDAY SHIBIR AT BORIVALI WEST : MUMBAI



+


Pranam,


PU.ACHARYA YUGBHUSHANSURI (PANDIT)M.S,

RAVIVAR 24 JULY, 9AM VISHAY:SAMRADITYA MAHA KATHA & SADHARMIK BHAKTI
AT GITANJALI JAIN SANGH.BORIVALI WEST, MUMBAI. TELL UR FAMILY / FRIENDS.




--

Pranam,
Jai Jinendra,
Jainam Jayti Sasnam


AXIT  D  SHAH
   ~ Founder ~ 
Jain~O~Re Parivar
Mumbai ~ India
3G (m) +91 98699 58999
www.JainoreParivar.BlogSpot.com

INDIAN Mobile nos cn Join us

Sms,


JOIN <space> JAINORE

 to 092195 92195  / 567678
     
Follow us on :


Micro Blog Twitter : www.TWITTER.com/JAINORE
Orkut : www.ORKUT.com : SEARCH : JAINORE PARIVAR


--
To post to this group, send email to jainore@gmail.com

To unsubscribe from this group, send email to
jainore+unsubscribe@googlegroups.com

Saturday, April 16, 2011

The Birth of the Spiritual Leader Who Gave Us Ahimsa



The Birth of the Spiritual Leader Who Gave Us Ahimsa
Gary L. Francione
Professor, Rutgers University

Although many are aware of the Buddha or the deities of Hinduism, few of us know anything about Mahavir (599-527 BCE), whose birth the Jain community around the world will celebrate on April 16. This celebration is known as Mahavir Janma Kalyanak.

Jainism, along with Hinduism and Buddhism, are the three primary spiritual traditions of India, and archeological evidence indicates that although Mahavir was a contemporary of the Buddha, Jainism predated Mahavir by hundreds of years and, therefore, is the oldest religion in India.  Mahavir is considered to be the last in a line of what the Jains call “Tirthankaras,” which literally means “maker of a ford” and refers to a human being who achieves omniscience and then teaches the path to liberation to others, thereby establishing a ford across the river of rebirth.

A Tirthankara is also referred to as a “Jina,” which means “spiritual victor,” or as an “Arihant,” which means “destroyer of enemies.”  A Jina or Arihant is a victor or destroyer in that he or she has conquered inner emotions and passions, and has complete equanimity that is characterized by an absence of attachment and aversion.  

Mahavir was a social revolutionary.  He rejected the caste system and the sexism that pervaded the society of his time (and that unfortunately persists), and promoted a radical social justice movement based on complete equality and equal inherent value.  He did not limit this revolution to humans and was the first historical figure to regard all nonhuman animals as full members of the moral community. 

He was also the first historical figure to articulate the view that the planet itself, including air, water, and earth, consists of living systems.  Mahavir was, indeed, the first ecologist.
The notion of revolution is often connected with violence, particularly in modern times. The central feature of Mahävir's revolution, however, was Ahimsa, or nonviolence. Mahavir provided the most expansive concept of Ahimsa that the world has ever known not only by extending this notion to include all living beings, but by making clear that violence was not simply a matter of what we did, but what we thought and said.

Mahavir also taught us about two other central tenets of Jainism:
·         Anekäntaväda or the notion that truth is many sided
·         Aparigraha or non-possessiveness. 

These two principles cannot be understood except as aspects of Ahimsa.  The doctrine of Anekäntaväda serves to promote social harmony and to reduce the violence that results from absolutist views of truth.  The doctrine of Aparigraha recognizes that attachment to wealth and the accumulation of material things makes us more inclined to act in violent and destructive ways.

Mahävir taught that;

“All breathing, existing, living, sentient creatures should not be slain, nor treated with violence, nor abused, nor tormented, nor driven away.” 
Ächäränga Sutra

This is the only moral or spiritual principle that we need to know. If we live by this principle, we will be at peace with ourselves and the world will be at peace. Whatever our religious tradition may be, let us celebrate Mahavir Janma Kalyanak 2011 by recommitting ourselves to a simple but profound idea that all may embrace: Ahimsa.

પ્રભુ મહાવીરસ્વામી ગુજરાત આવ્યા હતા



>>શત્રુંજય તીર્થ ઉપર ઉપદેશ પણ આપ્યો હતો
>>આજે ભગવાન મહાવીરના ૨૬૧૦મા જન્મકલ્યાણકની ઉજવણી થશે
>>અમદાવાદમાં ૪૦૦ વર્ષ પ્રાચીન મોટા મહાવીર સ્વામીનું દેરાસર પ્રખ્યાત
>>વિશ્વભરમાં મૂળ નાયક મહાવીરસ્વામીનાં હજારો દેરાસર છે

તા.૧૬મી એપ્રિલના રોજ ભગવાન મહાવીરના ૨૬૧૦મા જન્મકલ્યાણકની દેશભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે, ત્યારે ગુજરાતમાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યા હતા. એટલું જ નહીં વિશ્વભરના જૈનોની આસ્થાના કેન્દ્રસમા શત્રુંજય તીર્થ ખાતે તેમણે ઉપદેશ પણ આપ્યો હતો.

આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ને વિગતો આપતાં જૈન મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે, ૩૦ વર્ષની વયે દીક્ષા લેનારા ભગવાન મહાવીરસ્વામી કેવળ જ્ઞાન પછી ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવ્યા હતા, જ્યાં વિશ્વભરના જૈનોની આસ્થા જોડાયેલી છે એવા અનંતસિદ્ધોના ધામરૂપ શત્રુંજય તીર્થની સ્પર્શના કરવા માટે પધાર્યા હતા.

એટલું જ નહીં તેમણે શત્રુંજય તીર્થના જે સ્થળે ઉપદેશ આપ્યો હતો એ શત્રુંજય તીર્થના જુના રસ્તા વચ્ચે આજે પણ સચવાયેલું છે, જે મહાવીરસ્વામી ભગવાનની દેરી સ્વરૂપે છે. તેમણે જણાવ્યું કે, પ્રભુ મહાવીરસ્વામીએ દુનિયાને અહિંસા તેમજ પારદર્શી આચાર-વિચાર વગેરેનો બોધ આપ્યો છે. ગૃહસ્થ જીવનમાં રહીને પાળી શકાય એવા નાના નિયમો અણુવ્રત રૂપે રજુ કર્યા છે. મહાવીરસ્વામીના કઠોર આચારમાર્ગમાં કિઠન તપશ્વર્યા એ પણ પ્રધાન અંગ છે.

તેમણે જણાવ્યું કે,વિશ્વભરમાં તેમના હજારો દેરાસર છે. પાવાપુરી તેઓની નિવૉણભૂમિ છે. અહીં વર્તમાન સમયમાં પ્રસિદ્ધ જલમંદિર આવેલું છે. રાજસ્થાન બિજાપુર પાસે આવેલું રાતા-મહાવીર, રાણકપુર-રાજસ્થાન ખાતે આવેલું મૂછાળા મહાવીર અને અમદાવાદ-રાજનગર ખાતે પતાસા પોળમાં આવેલું મહાવીર સ્વામીનું પ્રાચીન જિનાલય અમદાવાદના લોકો માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે. લગભગ ૪૦૦ વર્ષ પ્રાચીન આ દેરાસર છે, જેને મોટા મહાવીરસ્વામીના દેરાસર તરીકે ઓળખવામાં આવે છે, સાથે જ ગાંધીનગર પાસે આવેલું મહાવીરસ્વામી જૈન આરાધના કેન્દ્ર-કોબા કે જ્યાં દર ૨૨મી મેના રોજ મહાવીર સ્વામીના ભાલે ‘સૂર્ય તિલક’ થાય છે.

ભગવાન મહાવીરની હયાતીમાં નિર્મિત એકમાત્ર પ્રતિમા નાંદિયામાં

રાજસ્થાનમાં આવેલું નાંદિયા કે જેનું મૂળ નામ છે નંદી વર્ધનપુર. રાજસ્થાનના પ્રાચીન પંચતીર્થમાં નાંદિયાનો સમાવેશ થાય છે. આ તીર્થની વિશેષતા છે કે મહાવીરસ્વામી ભગવાનની હયાતીમાં તેઓની પાંચ પ્રતિમાઓ બની ચૂકી હતી, જેને જીવંત સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. તેમાંની બે ગુજરાતમાં હતી, એક સૌરાષ્ટ્ર ખાતેના મહુવામાં અને બીજી કચ્છ ભદ્રેશ્વરમાં. અન્ય ત્રણ રાજસ્થાનમાં હતી. આ પાંચમાંથી વર્તમાન સમયમાં એકમાત્ર નાંદિયામાં જ આ પ્રતિમા હયાત છે. જેને નાંદિયામાં મહાવીર સ્વામીના મોટા ભાઈ રાજા નંદીવર્ધને સ્વયં પ્રતિષ્ઠિત કરી છે.

SHRAMAN BHAGVAN SHREE MAHAVIR



યુક્તિ અને વિચાર આધારિત આચારના પુરસ્કર્તા શ્રમણ ભગવાન મહાવીર
• જન્મ કલ્યાણક
શ્રમણ ભગવાન મહાવીર
લેખક : મુનિ મિત્રાનંદસાગર
Shraman Bhagvan Mahavir
જન્મ કલ્યાણક પ્રસંગે શ્રમણ ભગવાન મહાવીરને વંદના
શ્રમણ ભગવાન મહાવીરનું નામ પડે એટલે કેટલી બધી વાતો યાદ આવે. ભગવાનની સામે ફૂંફાડા મારતો ચંડકોશિયો નાગ દેખાય. ભગવાનને પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસનાં પારણાં કરાવતી ચંદનબાળા દેખાય. ભગવાનનાં ચરણોમાં આળોટતા રાજાઓ દેખાય. કુબેરના ખજાના સમી સંપત્તિને છોડીને ભગવાનનાં ચરણોમાં ફકીરીની અમીરી સ્વીકારતા શાહુકારો દેખાય. પગની પાની સુધી પહોંચતા લાંબા અને કાળાભમ્મર વાળનું સૌન્દર્ય ધરાવતી અપ્સરા જેવી કન્યાઓ ક્ષણભરમાં કેશલોચ કરીને ભગવાનનાં ચરણોમાં સાધ્વીજીવનનો સ્વીકાર કરીને ખુલ્લા પગે વનવગડામાં બાવળની અણીદાર શૂળો વાગવાની ચિંતા કર્યા વિના આત્માની મસ્તીમાં ચાલતી દેખાય. એક તરફ ધન્ના અણગાર જેવા તપસ્વી હોય, બીજી બાજુ પૂણીયા શ્રાવક જેવા સમતાના સાગર હોય. એક તરફ બાળક અતિમુક્ત હોય, તો બીજી તરફ બાળક જેવા ગૌતમસ્વામી હોય! સ્વભાવથી સરળ અને જ્ઞાનથી મહાન એવા ગૌતમસ્વામી એક નાના બાળકની જેમ ભગવાનને સવાલો પૂછતા હોય, ઘણીવાર તો એમના સવાલો પણ નાના બાળક જેવા જ હોય! અને ભગવાન મહાવીર પૂરી ગંભીરતાથી એના ઉત્તરો આપતા હોય.
આ બધાં દૃશ્યો ભગવાન મહાવીરના સ્મરણે તાજાં થાય છે. ક્ષત્રિયકુંડના રાજસિંહાસનને છોડીને આમજનતાના હૃદયસિંહાસન ઉપર બેસનારા ભગવાન મહાવીરે માત્ર ત્રણ દાયકાના ટૂંકા ગાળામાં સમગ્ર ભારતવર્ષની વૈચારિક કાયાપલટ કરી એ બનાવ વેદકાળના આરંભથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ચમત્કાર છે. ‘એક હાથમાં ધર્મગ્રન્થ અને બીજા હાથમાં હથિયાર’ જેવી જબરજસ્તીથી નહીં પરંતુ એક આંખમાં કરુણા અને બીજી આંખમાં પ્રેમના પારાવાર જેવી સલૂકાઈથી ભારતવર્ષના ઘડવૈયાઓમાં ઊંચું અને આદરભર્યું સ્થાન પામેલા ભગવાન મહાવીરે જે ધર્મપ્રવર્તન કર્યું એમાં ‘માત્ર મારા શરણે આવ, મારા ધર્મનો સ્વીકાર કર’ એમ કહેવાના બદલે ‘તને ઠીક લાગે તેનો સ્વીકાર કર.’ એ વિચારને કેન્દ્રમાં રાખ્યો. દશવૈકાલિક નામના જિનાગમમાં ‘જં સેયં તં સમાયરે’ એ શબ્દો દ્વારા ભગવાન મહાવીરનો આ સિદ્ધાંત સચવાયેલો છે. વિચારની આઝાદી સાથે આચારની નિર્મળતાનો આ એક અજોડ દાખલો છે.
અન્ય ધર્મગ્રન્થો જ્યારે હિંસા અને બલિદાનો દ્વારા ભગવાનને ખુશ કરવાની વાતો કહેતા હતા ત્યારે ભગવાન મહાવીરે અહિંસા દ્વારા આત્માને પ્રસન્ન કરવાની વાત કરી. હર્ષ-શોકથી ઘેરાયેલા ભગવાનના બદલે રાગ-દ્વેષમુક્ત ભગવાનનો વિચાર તેમણે જગતને આપ્યો. જગતના સર્જન, વિસર્જન, પાલન, પોષણની જવાબદારીવાળા ઈશ્વરના બદલે જગતને માર્ગ બતાવનારા ઈશ્વરનો જગતને પરિચય આપ્યો. ઉપરથી નીચે આવનારા ભગવાનના બદલે નીચેથી ઉપર જનારા ભગવાનની વાત કરી. જે પોતે મુક્ત હોય તે જ બીજાને મુક્તિનો માર્ગ બતાવી શકે અને જે પોતે બુદ્ધ હોય તે જ બીજાને બોધના રસ્તે લઈ જઈ શકે એ આદર્શ વિચારની ભગવાન મહાવીરે સ્થાપના કરી.
‘માનવમાત્ર મોક્ષને પાત્ર’નો ભગવાન મહાવીરે આપેલો મંત્ર એટલો મહાન પૂરવાર થયો કે જાતિ આધારિત જ્ઞાન તેમજ જાતિ આધારિત ધર્મની ધારણાના ભુક્કા બોલાઈ ગયા અને જાતિ આધારિત ભેદભાવવાળી અનેક રૂઢિઓ અને ભ્રમણાઓ એના પાયામાંથી હલબલી ઊઠી. ભગવાન મહાવીરના આ નવપ્રસ્થાનના કારણે તેમના ધર્મસંઘમાં મેતારજ જેવો સમાજના છેવાડાનો માણસ પણ દીક્ષા ધારણ કરીને મહામુનિનો દરજ્જો પામી શક્યો. જે તત્કાલીન અન્ય ધર્મો અને સમાજમાં કદી શક્ય નહોતું. આજના ભારતમાં પણ ક્યાં શક્ય છે!
લોકો સમજી શકે એવી સરળ ભાષામાં ઉપદેશ આપીને ભગવાન મહાવીરે એ યુગમાં અઢારે આલમ માટે ઉપદેશ શ્રવણનાં દ્વાર ખોલી આપ્યાં. ભગવાન મહાવીરના પ્રકાંડ પંડિત શિષ્યોએ પણ પાંડિત્યથી ભરેલું, ક્લિષ્ટ અને ન સમજાય તેવું સાહિત્ય લખવાના બદલે આબાલ-વૃદ્ધ અને ગામડાની અભણ સ્ત્રીઓ સુદ્ધાં સમજી શકે એવી ભાષામાં સાહિત્યનું સર્જન કર્યું. ચાર વેદ અને ચૌદ મહાવિદ્યાઓના પારગામી એવા ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર મહાપંડિતો પોતાના ચૌદસોને ચુમ્માલીસ શિષ્યો સાથે જ્યારે ભગવાન મહાવીરનાં ચરણોમાં દીક્ષિત થયા ત્યારે દુનિયાને ભગવાન મહાવીરના આધ્યાત્મિક પ્રભાવની અનુભૂતિ થઈ. આવો આધ્યાત્મિક પ્રભાવ પામતાં પહેલાં ભગવાન મહાવીરને ખૂબ સહન કરવું પડયું હતું.
પોતાના સાધનાકાળ દરમ્યાન ભગવાન મહાવીરને તત્કાલીન ભારતીય સમાજે રંજાડવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. અનેક વખત ભગવાન મહાવીરના પ્રાણ લેવાની કોશિશ કરવામાં આવી હતી. તેમની ઉપર જીવલેણ હુમલાઓ કરવામાં આવ્યા હતા. ભગવાન મહાવીરને અનેક વખત તેમની સાધનામાંથી ચલિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમને નિર્દોષ ભોજન ન મળે અને એ કારણે તેમને દિવસો સુધી નિરાહાર રહેવું પડે એટલી હદે તેમની સતામણી કરવામાં આવી હતી. કાનમાં કાંટાની શૂળો ખોસી દેવાની ગુસ્તાખી કરનારા લોકો પણ તેમને ભેટી ગયા હતા. આમ છતાં તેમણે અજોડ સમતા દ્વારા સહનશીલતાની પરાકાષ્ઠાનાં દર્શન કરાવ્યાં હતાં.
ભગવાન મહાવીરે પોતાના ઉત્કૃષ્ટ તપોમય આચરણ દ્વારા સામે ચાલીને પોતાની જાતને જાત જાતની આકરી પરીક્ષાઓમાંથી પસાર કરી હતી. ભટ્ઠીમાં તપેલું સોનું જેમ વધુ નિર્મળ થઈને બહાર આવે તેમ ભગવાન મહાવીર દરેક પરીક્ષાઓમાંથી વધુ ને વધુ નિર્મળ થઈને બહાર આવતા હતા. આવી નિર્મળતાની ચરમસીમાએ તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શનની અણમોલ આત્મિક સંપદાને પામી શક્યા હતા.
ભગવાન મહાવીરે પોતાના અંગત આચરણ માટે બહુ આકરા માપદંડો નક્કી કર્યા હતા. તેઓ પોતાની જાતને કેવી આકરી કસોટીમાં મૂકવાનું સાહસ કરી શકતા હતા અને તેમાંથી કેવી અપૂર્વ સમતા અને મક્કમતા સાથે પસાર થઈ શકતા હતા એનો એક જ દાખલો કાફી થઈ પડશે.
સાધનાકાળમાં ભગવાન મહાવીર એકવાર મેંઢીયગ્રામથી કૌશાંબીનગરી તરફ જઈ રહ્યા હતા એ વખતે એમણે પોતાની જાતને એક બહુ આકરી અને લગભગ પાર ન પડી શકે તેવી કસોટીમાં મૂકવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય શરતી ભિક્ષા સાથે સંકળાયેલો હતો. જૈન પરિભાષામાં આને અભિગ્રહ કહે છે. એ અભિગ્રહમાં તેમણે ભિક્ષા ગ્રહણ કરવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિશિષ્ટ શરતો આવરી લીધી હતી. એ શરતો આ રીતની હતી :
  1. દ્રવ્યથી અડદના બાકળાની ભિક્ષા મળે તો જ લેવી, એ બાકળા પણ પાછા સૂપડાના ખૂણે હોય તો જ લેવા,
  2. ક્ષેત્રથી આપનાર વ્યક્તિનો એક પગ ઊંબરાની અંદરની બાજુએ અને બીજો પગ ઊંબરાની બહારની બાજુએ હોવો જોઈએ,
  3. કાળથી ગોચરીની — ભિક્ષા લેવા જવાની — વેળા પતી ગઈ હોવી જોઈએ અને
  4. ભાવથી કોઈ રાજકન્યા દાસત્વને પામી હોય, તેનું મસ્તક મૂંડેલું હોય, તે શરીરે બંધનગ્રસ્ત અવસ્થામાં હોય, તેણે ત્રણ દિવસથી કંઈ ભોજન ન કર્યું હોય, તે રુદન કરતી હોય, તે મને ભિક્ષા આપે તો લેવી.
આવી કપરી શરતો ભિક્ષા માટે નક્કી કરવી અને સ્વાભાવિક રીતે જ તેની કોઈને જાણ પણ ન થવા દેવી એ બહુ આકરી પરીક્ષા છે.
આવા અભિગ્રહ પછી ભગવાને કૌશાંબીનગરીમાં વિચરવાનું ચાલુ રાખ્યું. તેઓ નિયમિત ગોચરી લેવા જતા પરંતુ તેમના અભિગ્રહ મુજબની ગોચરી તેમને મળતી નહીં. ભિક્ષા વિના જ પાછા ફરીને તેઓ તે દિવસે ઉપવાસ કરીને ધ્યાનની મસ્તીમાં ખોવાઈ જતા. આમ ને આમ પાંચ મહિના અને પચ્ચીસ દિવસ નિર્જળા ઉપવાસમાં વીતી ગયા ત્યારે વસુમતી નામની રાજકુમારી જે સંયોગવશ દાસત્વને પામી હતી અને પોતાના શેઠના ઘરે ચંદનબાળા તરીકે ઓળખાતી હતી તેના હાથે ભગવાન મહાવીરના આ કઠોર અભિગ્રહનું સમાપન થયું હતું. ચંદનબાળા કેવી રીતે દાસત્વને પામી હતી એ આખો ઇતિહાસ આ તબક્કે અહીં આલેખવો શક્ય નથી. સમયની અનુકૂળતાએ ક્યારેક એ જોઈશું, પરંતુ આ ઘટનામાં ભગવાન મહાવીર પોતે જ પોતાની જાતની કેવી તાવણી કરતા હતા એ સમજવા મળે છે.
ભગવાન મહાવીરના આ અભિગ્રહને પ્રથમ તીર્થંકર આદિનાથથી લઈને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના ઇતિહાસમાં સૌથી ઊંચા પ્રકારના અભિગ્રહનો દરજ્જો મળ્યો છે.
તપોમય સાધનાપદ્ધતિ, વિચારોની ભૂમિકા ઉપર આચારની સ્થાપના, આંખો મીંચીને કંઈ પણ ન સ્વીકારવાનો પરમ વિવેક, યુક્તિમંડિત વચનોનો આદર, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય સભર જીવનશૈલીનો ઉપદેશ, જરૂરિયાતોનું નિયમન, કોઈ પણ જાતિના સ્ત્રી-પુરુષને એક સરખો મોક્ષનો અધિકાર, અન્યના વિચારોમાં પણ સત્યના અંશના સ્વીકારની મહાન ઉદારતા, સંઘર્ષમય જીવનના બદલે સમન્વયવાદી જીવનની ધારણા વગેરે ભગવાન મહાવીરના ધર્મચક્ર પ્રવર્તનનાં અણમોલ રત્નો છે.
આધુનિક જગતના કેટલાક બુદ્ધિજીવીઓ ‘પસંદગીયુક્ત’ માનવ અધિકારોની વાતો કરે છે ત્યારે ભગવાન મહાવીરે અઢી હજાર વરસ પહેલાં ‘જગતના જીવમાત્રને નિરાપદ જીવનના અક્ષુણ્ણ અધિકાર’ની વાત કરી હતી અને પોતાના જીવનકાળમાં આ વાતને જીવી પણ બતાવી હતી.
જેની આંખોમાં પણ હળાહળ ઝેર હતું એવા ચંડકૌશિક જેવા નાગને સન્માર્ગે લાવવા ભગવાન મહાવીર પોતાની જાતને મૃત્યુના મુખમાં પણ લઈ જવા તૈયાર થયા હતા અને તેના આગઝરતા ફૂંફાડાનો પ્રતિકાર પ્રેમઝરતી કરુણાથી કરીને ચંડકૌશિકના અંતરમનને જીતી લઈને તેના જીવનમાં પરિવર્તન લાવીને તેનો નિસ્તાર કરનારા બન્યા હતા.
‘શસ્ત્રો અને હથિયારો વિનાના આ ભગવાન’ના સિદ્ધાંતોના જ પ્રભાવ નીચે ઉત્તરકાળમાં હિંસાવાદી ધર્મોને પણ અહિંસાનાં ગાણાં ગાવા માટે મજબૂર થવું પડયું એ ભગવાન મહાવીરના જીવનની અજોડ સિદ્ધિ છે.
~~~~~~~~~~ • ~~~~~~~~~~

Friday, April 15, 2011

Palitana Tirth Pics : From the Sky


+

Pranam,







--
 
Pranam,
Jai Jinendra,
Jainam Jayti Sasnam

AXIT  D  SHAH
   ~ Founder ~ 
Jain~O~Re Parivar
Mumbai ~ India
3G (m) +91 98699 58999
http://www.jainoreparivar.blogspot.com/
INDIAN Mobile nos cn Join us
Sms,


JOIN <space> JAINORE
 to 092195 92195  / 567678
     
Follow us on :


Micro Blog Twitter : www.TWITTER.com/JAINORE
Orkut : http://www.orkut.com/ : SEARCH : JAINORE PARIVAR


Sunday, February 27, 2011

ગિરનારનો રોપ-વે આ પવિત્ર તીર્થને બદનામ હિલ સ્ટેશનમાં ફેરવી નાંખશે



ગિરનારનો રોપ-વે આ પવિત્ર તીર્થને બદનામ હિલ સ્ટેશનમાં ફેરવી નાંખશે
હોટલાઇન - ભાલચંદ્ર જાની


ગિરનારમાં રોપ-વે બાંધવાની કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ એટલે ગુજરાતીઓ બધા બહુ હરખાયા. પરંતુ કેટલાક એવા બુઘ્ધિજીવીઓ પણ છે જેને રોપ-વે બંધાયા પછી ગિરનાર તીર્થધામ પર આફત આવશે તેવી ભીતિ છે. તેઓની દલીલ એવી છે કે યાત્રાધામો સુધી પહોંચવાના રસ્તાઓ કઠિન હોય તો કશું ખોટું નથી. ત્યાં સુધી પહોંચવાના રસ્તાઓ જો સરળ કરી નાખીશું તો યાત્રાનું મહત્વ શું રહેશે ?
યાત્રાધામો સુધી પહોંચવાનું કઠિન હોય તો તે ખાસ વાંધાજનક ન ગણાવું જોઇએ એવા મત સાથે હરકોઇ સંમંત થશે. આમેય પિકનિક સ્થળો અને યાત્રાધામો એ બેમાં ફરક છે, એટલું જ નહીં, યાત્રાધામોની પવિત્રતા, માનમોભો અને પર્યાવરણ સામે પણ પ્રશ્રો ઊભા થયા છે અને થશે. અહીં વાત કરવી છે યાત્રાધામ ગિરનાર ઉપર થનારા રોપ-વેની.


ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર રોપવે પ્રોજેક્ટને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ગયા સપ્તાહે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ભવનાથ તળેટીથી અંબાજી શિખર સુધીના રોપવે પ્રોજેક્ટને કેન્દ્રે છ શરતોને આધિન મંજૂરી આપી છે, જેમાં બે ટાવરની ઊંચાઈમાં વધારો, પર્યાવરણ જાળવણીની પ્રવૃત્તિ માટે ટિકિટ પર સેસ જેવી શરતો સામેલ છે. ગુજરાતભરમાંથી દરવર્ષે લાખોની સંખ્યામાં પવિત્ર ગિરનાર પર્વતની યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓને રોપવેના કારણે ભારે રાહત મળશે. લગભગ એક વર્ષથી રોપવે પ્રોજેક્ટની ફાઇલ ઘૂળ ખાતી હતી, આખરે સરકારે પર્યાવરણવિદોએ રજૂ કરેલા તમામ વાંધા નકારી પ્રોજેક્ટને મંજૂરી આપી છે.


સપ્ટેમ્બર ૧૯૯૯થી અનિશ્ચિતતાઓમાં લટકી રહેલો ગીરનાર રોપવે પ્રોજેક્ટ હવે નવા વિવાદમાં સપડાયો છે. પર્યાવરણવિદો વન્ય જીવોના અસ્તિત્વને નુકસાન પહોંચશે એવા કારણોસર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે રોપવે પ્રોજેક્ટ બાંધવા માટેના મજબુત કારણો હોવાનું નોંધતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે માનવ-પ્રાણીઓ વચ્ચે ઓછામાં ઓછું ઘર્ષણ સર્જાશે, તથા તેના કારણે યાત્રાધામની મુલાકાત લેતા હજારો લોકોની સુવિધામાં વધારો થશે.


ગુજરાત રાજય સરકારે ૧૯૯૫થી ૨૦૦૮ના ૧૩ વર્ષના સમયગાળામાં રોપ-વે પૂરો કરી નાખ્યો હોત તો કેન્દ્રની મંજૂરીની કોઈ જરૂરત જ ન્હોતી, પરંતુ મે-૨૦૦૮માં ગિરનાર જંગલને વાઈલ્ડલાઈફ સેન્કચ્યુરી જાહેર કરાતાં જ વાત ટલ્લે ચડી હતી. અહીં રોપ-વે બનવાથી લુપ્ત થતી જતી ગિરનારી ગીધની પ્રજાતિ પર ખતરો આવી શકે તેવો નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફનો અભિપ્રાય હતો. અલબત્ત, કેન્દ્રીય મંત્રાલયે કેટલીક શરતો મૂકી છે. રાજય સરકારે રોપ-વેના વૈકલ્પિક એલાઈનમેન્ટ માટે અભ્યાસ કરાવીને બને ત્યાં સુધી તેને દાતાર - ભેસાણ તરફ રાખી ગીધોના માળા તથા હેરફેરના મુખ્ય સ્થળમાં બાધારૂપ ન બને તે જોવાનું રહેશે, તથા બે મહિનામાં રીપોર્ટ આપી દેવાનો રહેશે. નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફના તજજ્ઞોથી માંડીને કેન્દ્રીય મંત્રી સુધીનાઓની વખતોવખતની મુલાકાતો, જાત નિરીક્ષણ બાદ સરકારે કેટલીક શરતો સાથે આ પ્રોજેકટને લીલીઝંડી આપી છે.


ભારતભરમાં યાત્રાધામોમાંના એક અતિ પ્રાચીન એવા ગિરનાર તીર્થ પર યાત્રાધામના કહેવાતા વિકાસ માટેનાં પગલાં લેવાનું ગુજરાત સરકારે આક્રમક અને સક્રિય રીતે શરૂ કર્યું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનું ગઠન થયેલું છે.ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો અંબાજી, દ્વારકા, સોમનાથ, પાલિતાણા, ગિરનાર અને ડાકોરના સર્વાંગી વિકાસ અને પવિત્રતાના પર્યાવરણીય પ્રભુત્વની સ્થાપના માટેનું આયોજન મૂર્તિમંત કરવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડને વૈધાનિક સ્વરૂપ આપી, કાર્યરત બનાવવાની જરૂરિયાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.


યાત્રાધામોનો વિકાસ થાય એની સામે કશો વાંધો હોઇ ન શકે. પરંતુ વિકાસને નામે ટુરીઝમ ફૂલેફાલે અન યાત્રાધામની પવિત્રતા અને ધાર્મિકતાને અસર થાય તો તેનો આકરો વિરોધ થવો જ જોઇએ. રોપ-વે (ગુજરાતીમાં ઘણા તેને ઉડનખટોલા કહે છે) વિકાસનું એક લોભામણું પ્રલોભન છે. ગુજરાતમાં આ પહેલાં પાવાગઢ(૧૯૮૬)માં અને અંબાજીમાં (૧૯૯૮માં) રોપ-વેની સુવિધા હતી અને હવે ગિરનારમાં રોપ-વેનાં પડઘમ વાગી રહ્યાં છે. ગિરનારમાં ૨૧૨૦ મીટર લાંબો રોપ-વે થવાનો છે. રોપ-વેની તરફેણમાં સરકારી દલીલો છે કે ગિરનાર પર અત્યારે લોકોને પાંચ હજાર પગથિયાં ચડીને જવું પડે છે. કુલ મળીને તો ભાવિકોએ ૯૯૯૯ પગથિયાં ચઢવા પડે છે. તે અંતર રોપ-વે આવવાથી મિનિટોમાં અને થાક્યા વગર પૂરૂં કરી શકાશે. ઉપરાંત વૃદ્ધ અને અશક્ત ભક્તો ડોળીવાળાને ૨૦૦૦ થી ૨૫૦૦ રૂપિયા જેવી રકમ નથી આપી શકતા તે લોકો હવે રોપ-વે દ્વારા ઓછે ખર્ચે યાત્રા કરી શકશે. વળી, જે લોકો ગિરનાર પર અવારનવાર આવે છે (અગિયારસે, પૂનમે) તેવા યાત્રિકોનાં સમય અને શક્તિનો વ્યય થતો બચશે.


બીજી દલીલ એવી થાય છે કે રોપ-વે થવાથી સહેલાણીઓનો ગિરનારની મુલાકાતનો પ્રવાહ વધશે. આજે ગિરનાર પર્વત ચડી શકે તેવા દસથી બાર લાખ યાત્રાળુઓ પ્રતિવર્ષ ગિરનાર અને જૂનાગઢ શહેરની મુલાકાતે આવે છે, જેના પર લોકોનો વેપાર અને રોજગાર નભે છે. રોપ-વે થવાથી યાત્રાળુઓનું પ્રમાણ બમણાથી પણ વધશે. આથી આર્થિક રીતે પછાત ગણાતા જૂનાગઢ શહેરમાં ધંધોરોજગારનો સારો એવો વિકાસ થશે.


આ પ્રકારની કેટલીય દલીલોની સુંદર જાળ ગૂંથીને રાજકારણીઓ અને વેપારી પેઢીઓ દ્વારા રોપ-વેનો સુંદર પ્રચાર કરવામાં આવે છે. વર્તમાનપત્રોમાં અવારનવાર રોપ-વે તો જાણે જૂનાગઢનો પ્રાણપ્રશ્ર હોય તેમ તે અંગેની માંગણીઓ દોહરાવવામાં આવે છે. રોપ-વેને વિકાસનું એક લોભામણું પ્રલોભન બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને તેનાં સૂચિત ફળ ખાવા અનેક સ્થાપિત હિતો મોં ઉઘાડીને બેઠાં છે.


ખરેખર તો રોપ-વે માટેની દલીલો પોકળ છે. રોપ-વે થવાથી આર્થિક વિકાસ થશે ત્યારે થશે, પણ ડોળીવાળાના ધંધા પર જરૂર ફટકો પડશે. તેઓ લગભગ બેકાર બની જશે. વળી રોપ-વે થવાથી સાચા યાત્રાળુઓ કરતાં સહેલાણીઓ બમણા થશે. પ્રવાસીઓ અને યાત્રાળુઓ વચ્ચે ફરક હોય છે. યાત્રાધામોને પ્રવાસસ્થળો કે પિકનિક સ્પોટ બનાવતાં પહેલાં લાખ વખત વિચારવું જોઇએ. રોપ-વે થાય એટલે પિકનિકોનાં દ્વાર ખુલી જાય.


અંબાજી રોપ-વેનો તો ઘણાં કારણોથી અત્યારે વિરોધ થઇ રહ્યો છે. એક દેનિકના અહેવાલ પ્રમાણે,‘‘ અંબાજી ગબ્બર પર્વતની જાતતપાસ કરતાં પ્રજાની અનેક સમસ્યાઓ પ્રકાશમાં આવી છે. ઉડન ખટોલાના સંચાલક તેમજ સિક્યોરિટી દ્વારા પ્રજા પાસેથી એક વ્યક્તિદીઠ ૨૫ રૂપિયા ધાર્મિક સ્થાને લેવામાં આવે છે.સિક્યોરિટી દ્વારા પ્રજા પાસે અવ્યાવાહરિક તેમ જ તોછડાઇભર્યું વર્તન કરવામાં આવે છે. આ ઉડન ખટોલામાં બેસનારા યાત્રાળુઓને માતાજીની ગાદી, માતાજીનો હીંચકો, શેષનાગની ગુફા જેવાં ધાર્મિક સ્થળોનો લાભ મળી શકતો નથી. આ ઉડન ખટોલાનો લાભ ગરીબ અને મઘ્યમ વર્ગના લોકો મેળવી શકતા નથી અને આનો લાભ પૈસાપાત્ર વર્ગ જ લઇ શકે છે.


આપણા પૂર્વજોએ અનેક તીર્થોની સ્થાપના પર્વતોનાં શિખરો ઉપર કરી તેની પાછળ પણ એક લોજિક કામ કરી રહ્યું છે. તેમની યુક્તિ એવી હતી કે પવિત્ર તીર્થો સુધી પહોંચવાનો માર્ગ જો અઘરો હોય તો ખરેખરો ભક્તિભાવ ધરાવનાર લોકો જ ત્યાં સુધી પહોંચી શકે અને તીર્થનું વાતાવરણ બગડે નહિ. જે ગિરિમથકોનંુ વાતાવરણ આઘ્યાત્મિક સાધના માટે ઉત્તમ માનવામાં આવ્યું છે ત્યાં તમામ કામોત્તેજક પરિબળો પણ હાજરાહજૂર હોય છે. ગિરિમથક સુધી પહોંચવાનો માર્ગ જો સરળ અને આસાન બનાવવામાં આવે તો ધર્મપ્રેમીઓને બદલે ભોગસુખના રસિયાઓનો ધસારો ત્યાં વધી જાય અને આઘ્યાત્મિક શાંતિનું વાતાવરણ ડહોળાઈ જાય. આજે પણ પહાડ ઉપર આવેલાં જે તીર્થો સુધી પહોંચવા માટે રોડની સુવિધા ઉપલબ્ધ છે તેનું વાતાવરણ તપાસીએ એટલે ઉપરની વાતની ખાતરી થઈ જાય છે.રોપવેની યોજના તો રોડ કરતાં પણ વઘુ હાનિકારક છે કારણ કે તે પહાડની ટોચ ઉપર પહોંચવા માટેનો સૌથી આસાન તરીકો છે.


ભારતભરનાં તીર્થસ્થળોનો ઇતિહાસ કહે છે કે જે તીર્થો સુધી પહોંચવા માટે રોડ અથવા રોપવેની સગવડ કરવામાં આવી તેની પવિત્રતા નાશ થઈ છે. ગુજરાતની સરહદે આવેલું માઉન્ટ આબુ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે પહાડ ઉપર વૈદિક અને જૈન ધર્મનાં (દેલવાડા) ભવ્ય મંદિરો અને આશ્રમો આવેલાં છે એ આજે વ્યભિચારના અડ્ડા જેવો બની ગયો છે. માઉન્ટ આબુમાં દારૂ બહુ છૂટથી મળે છે અને અમુક ગેસ્ટ હાઉસો કોલગર્લ સપ્લાય કરવાનો ધંધો કરે છે. મુંબઈ, વડોદરા અને અમદાવાદથી હાઈ સોસાયટીની કોલગર્લ્સને લઈ શ્રીમંતોના નબીરાઓ અહીં આવે છે અને દારૂની જયાફતો ઉડાવે છે. ગુજરાતમાં પહાડની ઊંચાઈએ આવેલું અંબાજી પણ આજે વેશ્યાઓનું ધામ બની ગયું છે. તેની સરખામણીએ જ્યાં પહોંચવું આજે પણ કઠિન છે તેવાં જૂનાગઢ, શત્રુંજય, બદરીનાથ, કેદારનાથ, સમ્મેતશિખર વગેરે પહાડી તીર્થો આજે પણ દૂષણરહિત રહ્યાં છે. રોપવે જેવાં સાધનો વડે શહેરી જીવનનાં તમામ દૂષણો એક જ મિનિટમાં આ પવિત્ર તીર્થ સુધી પહોંચી જઈ શકે છે.


મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢના જે કિલ્લા ઉપર હતી ત્યાં રોપવે બાંધવાની એક યોજના મહારાષ્ટ્ર સરકારે સાડાપાંચ કરોડ રૂપિયાને ખર્ચે તૈયાર કરી છે. થોડા સમય અગાઉ શરદ પવાર આ યોજનાનું ઉદ્ઘાટન કરવાના હતા પણ શિવભક્તોના વિરોધને કારણે તેમણે આ કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. રાયગઢના સૂચિત રોપવેનો વિરોધ અખિલ મહારાષ્ટ્ર ગિરિઆરોહણ મહાસંઘ નામની સંસ્થા દ્વારા થઈ રહ્યો છે. આ યોજનાના વિરોધીઓ કહે છે કે રાયગઢ ઉપર જો રોપવે આવશે તો શિવાજી મહારાજની આ રાજધાની કૂટણખાનામાં ફેરવાઈ જશે.


રાયગઢ ઉપર રોપવે બાંધવાની યોજનાનો વિરોધ કરી રહેલા લોકો આ માટે સિંહગઢનું ઉદાહરણ આપે છે. આ પ્રાચીન કિલ્લામાં છેક ઉપર સુધી વાહન લઈ જવાની સુવિધા થઈ તે પછી ત્યાં દારૂ અને વેશ્યાઓનાં અનિષ્ટો વધી રહ્યા છે. રાયગઢ ઉપર જો રોપવે આવશે તો તેના હાલ પણ સિંહગઢ જેવા થશે તેવો તેમને ડર છે. છત્રપતિ શિવાજી મહારાજે પોતાની રાજધાની તરીકે રાયગઢનો કિલ્લો પસંદ કર્યો તેનું કારણ તેની દુર્ગમતા હતી. હવે આ કિલ્લાને જો સુગમ બનાવી દેવામાં આવશે તો તે શિવાજી મહારાજનું અપમાન થશે. વૃઘ્ધો, અપંગો અને બાળકોને જો આ કિલ્લાનાં દર્શન કરવા હોય તો તે માટે ડોલીની વ્યવસ્થા છે જ. તેમના બહાને જો રોપવે ઊભો કરી દેવામાં આવશે તો ૯૦ ટકા આળસુ શ્રીમંતો અહીં અમનચમન કરવા આવી ચડશે અને પોતાના ધનનંુ બીભત્સ પ્રદર્શન કરશે


ભારત સરકારનું ‘પ્રવાસન મંત્રાલય’ દેશમાં પ્રવાસીઓને આકર્ષવા હડકાયું થયું છે. આ મંત્રાલય ભારતમાં વઘુ ને વઘુ વિદેશીઓ આવે તે પ્રકારની યોજનાઓ બનાવે છે. વિદેશીઓ સૂંડલામોઢે આવે, ડોલરો ખર્ચે અને આપણને વિદેશી હૂંડિયામણ મળે. વિદેશીઓની માગ અને ટેવ પ્રમાણેની ખાસ સુવિધાઓ પણ ટૂરીઝમ ડેવલેપમેન્ટના ઓઠા તળે ઊભી થાય છે. ખાસ સુવિધાઓ એટલે નાનીમોટી હોટેલોથી માંડીને ફાઇવસ્ટાર હોટેલો, વેજ-નોનવેજ ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂડ પીરસતાં રેસ્ટોરાં, દારૂના બાર, કેસિનો, થિયેટરો, વિડિયો પાર્લર, વિમાની મથકો, છેક સુધી જતી ડામરની સડકો, રેલવે, રોપ-વે, મોટરકાર, બસસેવાઓ વગેરે. ટુરીઝમ ડેવલપમેન્ટના જોડે જોડે ચાર બીઃબાઇ (વેશ્યાવૃત્તિ), બાટલી (દારૂ), બિરિયાની (માંસાહારી) અને બાજી (જુગાર)ની પણ બોલબાલા વધે છે. નાનાં-મોટાં પ્રવાસધામો-યાત્રાધામો આ વિષચક્રનાં ભોગ બને છે. શરૂઆતમાં સ્થાનિક લોકો વિકાસની ભ્રમણામાં રાચી ખુશ થાય છે, પણ પછી આઠ-દસ વર્ષે ‘લોભામણા છળ’ની વાસ્તવિકતા સામે આવે છે.


સરેરાશ ભારતીય પ્રજા પ્રવાસધામો કરતાં યાત્રાધામો પર વઘુ જતી હોય છે. આથી લોભાઇને યાત્રાધામોને વિકાસની ચૂડેલની ઝપટમાં લેવાનું શરૂ કરાયું છે. વિકાસની આ હડફેટમાં વૈષ્ણોદેવી, હરિદ્વાર, પુષ્કર, માઉન્ટ આબુ, ખજૂરાહો, સિંહગઢ, પાવાગઢ આમ ઘણાંનો સમાવેશ થાય છે. આ યાત્રાધામોની કેવી હાલત થઇ છે તેની વિગતો હૈયામાંથી હાય ઉપજાવનારી છે.


ઉપરોક્ત સ્થળોએ પહેલાં પાકી સડકો તૈયાર થઇ અને ક્યાંક રોપ-વે પણ થયો. ત્યાર બાદ હોટેલો અને રેસ્ટોરાં શરૂ થયાં અને પછી બાઇ, બાટલી અને બાજીનું વિષચક્ર શરૂ થયું. મઘ્ય પ્રદેશનું ખજૂરાહો પવિત્ર હિંદુ મંદિરોથી શોભતું તીર્થ છે, પરંતુ પ્રવાસનમંત્રાલયે ખજૂરાહોને સમગ્ર દેશ તથા વિદેશમાં ઉન્નત કામશિલ્પો ધરાવતા મહાન સ્મારકો તરીકે પ્રસિઘ્ધ કરી મૂક્યું છે. પૈસા કમાવવાની લાયમાં આ બઘું થાય છે. કામશિલ્પો જોવા વિદેશીઓનાં ટોળેટોળાં ખજૂરાહો ઊતરી આવે છે. વિદેશીઓની માગને સંતોષવા અહીં હોટલો-રેસ્ટોરાં અને દારૂના બાર શરૂ થયાં અને પ્રવાસનમંત્રાલય હવે કાઠમંડુની જેમ ખજૂરાહોમાં કાયદેસરનો કેસિનો (જુગારખાનું) શરૂ કરવાનું છે. ઉપરાંતગેરકાયદેસરની કોલગર્લ સેવા તો અન્ય સ્થળોની જેમ અહીં પણ ફૂલીફાલી છે જ.


ગુજરાતમાં દારૂબંધી છે તથા હિમાલયનાં કેટલાંક યાત્રાધામો પર માંસાહારબંધી છે. તે સિવાય દેશના મોટા ભાગનાં યાત્રાધામો પર દારૂ અને માંસાહાર સામાન્ય બની ગયાં છે, કેમ કે તેને કાયદેસર પડકારી શકાતા નથી.


ગુજરાતનાં મોટા ભાગનાં યાત્રાધામોમાં દારૂ, જુગાર,વેશ્યાવૃત્તિનાં દુષણો અત્યારે પણ છે. યાત્રાધામોનો ખરેખરો વિકાસ કરવો હોય તો આ દૂષણોને કોઇ પણ ભોગે હટાવવાં જોઇએ. ં આરસપહાણોની ખાણો વધતાં બેરોજગાર બનેલા આદિવાસીઓની સ્ત્રીઓ-બહેનો પાપી પેટ ભરવા અંબાજીનાં વેશ્યાલયોના અડ્ડામાં આવે છે તે જાણીને સહુકોઇને આઘાત લાગે.અંબાજીના ગબ્બર પર ચડવાના નાકે બેરોકટોક રીતે જુગાર રમાતો હોય છે. પોલીસની રહેમનજર હેઠળ આ બઘું થતું હોય છે. યાત્રાધામોને ખરેખરા અર્થમાં પવિત્રતા બક્ષવી હોય તો કડક હાથે આ બંધ કરાવવું જોઇએ. રોપ-વે જેવા રસ્તાઓ તો આવાં દૂષણોને મોકળું મેદાન પૂરૂં પાડશે તેમાં બે-મત નથી.


ગિરનારમાં કુલ ૫૦૦૦ પગથિયાં છે. ૩૫૦૦ પગથિયાં ચડી જૈન યાત્રાળુઓ ભગવાન નૈમિનાથના ચરણે મસ્તક નમાવે છે. પછીનાં ૧૫૦૦ પગથિયાં ચડતાં અંબિકાનું પ્રસિદ્ધ મંદિર આવે છે. આ ઉપરાંત ગુરૂ ગોરખનાથ, દત્તાત્રેય, મા કાલકા વગેરે ટૂંકોએ તથા સહસાવન, ભરતવન, વગેરે જગ્યાઓએ યાત્રાળુઓ યાત્રા કરે છે. દરેક સ્થળોએ જતા યાત્રાળુઓને પુષ્કળ થાક લાગે છે એ વાત સાચી, પણ કષ્ટ સહન કરીને પૂર્ણ કરેલી યાત્રાના આનંદમાં સઘળો થાક ભૂલાઇ જાય છે. જૂનાગઢ-ગિરનારની મુલાકાતે આવનારા લોકોમાંથી ૯૫ ટકા લોકો ગિરનારની યાત્રા પગથિયાં ચડી પૂર્ણ કરે છે. બે ટકા યાત્રાળુઓ ડોળી દ્વારા ગિરનાર ચડે છે. અને પૈસા ન ખર્ચી શકનાર (ડોળીના) વૃદ્ધ અને અશક્ત હોય તેવા માંડ ત્રણ ટકા મુલાકાતીઓે તળેટીથી દર્શન કરી પાછા વળી જાય છે.


હવે ગિરનાર રોપવેને લીધે જુનાગઢ આવતા પર્યટકોની સંખ્યામાં વાર્ષિક ૨૦ લાખનો વધારો થવાનો અંદાજ છે. જેના થકી વાર્ષિક રૂા ૧૦૦ કરોડની આવક થશે. અને તેનાથી અનેકને રોજગારી પણ મળશે.
રોપ-વે થયા બાદ ગિરનારની ટોચ પર બિરાજતા અંબાજી માતાજી મંદિર સુધી પહોંચતા ૯ મિનિટ થશે. આમ, હવે પર્વત સર કરવા માટે કલાકો નહિ લાગે. ગિરનાર રોપવેની લંબાઈ અંદાજે ૨.૨૩ કિલોમીટરની રહેશે. રોપવે દ્વારા કલાકમાં ૫ હજાર જેટલા પેસેન્જરોને લઈ જઈ શકાશે. ગુજરાતમાં કાલીદેવી (પાવાગઢ), અંબાદેવી (અંબાજી) બાદ ત્રીજો રોપવે હશે. જયારે દેશભરમાં ૮ રોપવે છે.


ભલે રોપ-વેની એન્ટ્રી યાત્રાધામના વિકાસને નામે કરાવાતી હોય, પણ ખરેખર તો એ ટૂરીઝમ વિકાસનું આયોજન છે. સ્થાનિક પ્રજામાં વિરોધનો સૂર ન ઊઠે તે માટે પ્રવાસનમંત્રાલય દ્વારા ઘણાં પ્રલોભનો અપાયાં છે. જૂનાગઢમાં ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો નથી તેથી જૂનાગઢ પછાત છે. જૂનાગઢને વિકાસને પંથે લઇ જવું હોય તો યાત્રાધામ ગિરનારને બલિનો બકરો બનાવવાની કોઇ જરૂર નથી.


રોપ-વેની પૂંઠે શું છે ? ગિરનાર હિલસ્ટેશનમાં ફેરવાઇ જશે. રોપ-વે આવતા ટુરિસ્ટો વધશે. ગિરનારનાં જંગલોને પણ તેથી નુકસાન થશે. ગિરનારનાં જંગલોના વિસ્તારમાં સરેરાશ વાર્ષિક ૪૦થી ૬૦ ઈંચ વરસાદ પડે છે. અહીં જળપ્રવાહો બારે માસ વહેતા નથી. સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચતો હોય છે. ગિરનારની વિશેષતા એ છે કે અન્ય જંગલોમાં જોવા ન મળે તેવી વનસ્પતિ કે અલભ્ય જડીબુટ્ટીઓ પણ અહીં થાય છે. જંગલ ખાતા દ્વારા વૃક્ષો કપાતાં અટકાવ્યા બાદ સંરક્ષણાત્મક પગલાં લેવાથી પાંખાં થઇ ગયેલાં વનો ગાઢ બન્યાં છે.


ગિરનારનો પથ્થર વિશ્વના ઉત્તમ ગ્રેનાઇટમાંનો એક છે. આ પથ્થર ખોદીને તેમાંથી કોન્ક્રીટ બનાવતી ક્વોરીઓ અને ક્રશરો સામે થોડાં વર્ષો પહેલાં આંદોલન કરીને જૂનાગઢના ધારાસભ્યએ ખાણકામ બંધ કરાવી ગિરનારની ભૂસંપત્તિ અને વનસ્પતિ બચાવવાનો સફળ અને સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. ગિરનારમાં જંગલો હેમખેમ છે. પર્યાવરણ સચવાયું છે તેથી ઘણી વાર જૂનાગઢને ‘ગ્રીન સિટી’ કહેવાય છે. રોપ-વે વાયરોની સાથે અહીં ટુરીઝમનો વિકાસ થશે તો૨૦-૨૫ વર્ષમાં પર્યાવરણની પણ એવી માઠી દશા થશે કે હરિયાળું જૂનાગઢ શહેર ભૂતકાળની વાત થઇ જશે.


સોસાયટી ફોર એન્વાયરનમેન્ટ પ્રોટેકશનના અહેવાલ પ્રમાણે રોપ-વે થયા પછી તંત્રની બેદરકારીને લીધે પાવાગઢની રમણીયતા અને મહત્તાની જાળવણી પર્યાવરણવાદીઓ, પુરાતત્વવિદો માટે ચિંતાનું કારણ બની રહી છે. અહીં ગેરકાયદે ઝાડ કાપવાની પ્રવૃત્તિ વેગવાન બની છે. રસ્તાઓમાં ઠેરઠેર પ્લાસ્ટિક બેગો, ખોખાં, કૂડો-કચરો જોવા મળે છે. પાવાગઢમાં ખુલ્લેઆમ બિયર પણ વેચાય છે. ગિરનારની દશા જો પાવાગઢ જેવી ન કરવી હોય તો રોપ-વે બનાવ્યા પછી સરકારે ખાસ એવી કાળજી લેવી જોઈએ જેથી આ તીર્થ સ્થળે ગંદકી ન થાય અને પર્યાવરણ જોખમાય નહીં.


Latest Tweets